Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ખોડલધામ મંદિરમાં કોરાટ પરિવાર દ્વારા ૫ તોલા સોનાનું દાન

રાજકોટઃ શ્રી ખોડલધામ મંદિરે ભકતો પોતાની યથાશકિત દાન અર્પણ કરતા હોય છે ત્યારે રાજકોટના કૌશિકભાઈ દામજીભાઈ કોરાટ અને તેમના પરિવાર તરફથી મા ખોડલના ચરણોમાં સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યુ હતું. કોરાટ પરિવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. સ્વ. દામજીભાઈ કોરાટના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, કોરાટ પરિવારને મા ખોડલ ઉપર અતૂટ આસ્થા છે અને સ્વ. દામજીભાઈની એક ઈચ્છા હતી કે, શ્રી ખોડલધામમાં મા ખોડલને પાંચ તોલા સોનાનું દાન કરવું. તેમની આ ઈચ્છા અનુસાર તેઓના પરિવારજનો દ્વારા મા ખોડલને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરાયો હતો.

(3:12 pm IST)