Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સંસ્થાઓના આચાર્યોેએ લીધી વજુભાઈ વાળાની શુભેચ્છા મુલાકાત

કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા સંસ્થાઓના આચાર્યોએ ગઈકાલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. શુભેચ્છા મુલાકાતમાં વજુભાઈએ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના આદ્યસ્થાપક લાભુભાઈ ત્રિવેદી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ સંસ્થા દ્વારા વજુભાઈ વાળાને ફુલહાર કરવામાં આવ્યા હતા. એટલુ જ નહિ શાલ તેમજ બુકસ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. વજુભાઈએ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા આચાર્યોને સંસ્થાના શૈક્ષણિક વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પ્રિન્સીપાલ વિનોદભાઈ ગજેરા ઉપરાંત પૂર્વ આચાર્ય ગૌતમભાઈ પારેખ પણ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં ઉપસ્થિત આચાર્યો અને વજુભાઈનુ સન્માન થતુ જોવા મળે છે

(3:11 pm IST)