Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

આચાર્યસભાના સભ્યો યોગી આદિત્યનાથજીની મુલાકાતે : હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના મુદ્દે ગોષ્ઠી

રાજકોટ : આચાર્યસભાના સભ્યો તાજતેરમાં યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને હિન્દુ ધર્મ તથા સંસ્કૃતિના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરી હતી. આચાર્યોએ સરકારના દિર્ઘદ્રષ્ટીવાળા નિર્ણયો પ્રત્યે સંતોષ વ્યકત કરી આશીર્વાદ વરસાવ્યા હતા. સામે યોગી આદિત્યનાથજીએ પણ આચાર્યો દ્વારા સુચવાયેલા મુદ્દાઓ ધ્યાને લીધા હતા. આ મુલાકાત સમયે એસજીવીપી છારોડીના શ્રી માધવપ્રિયદાસજી,  રાજકોટ આર્ષ વિદ્યામંદિરના શ્રી પરમાત્માનંદજી સહીતના સંતો અને આચાર્યશ્રીઓ સાથે જોડાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે. 

(3:09 pm IST)