Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

અક્ષરનગરમાં હનુમાન દાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી : સાંજે મહાઆરતી - દાંડીયા રાસ

રાજકોટ : ગાંધીગ્રામ, અક્ષરનગર-૨ ખાતે આવેલ જયશ્રી નાકાવાળા મનોકામના સિધ્‍ધ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દાદાના મંદિરને ગુલાબ પાંદડીઓની અનેરી સજાવટ કરી સમગ્ર શેરીમાં ધજા પતાકાનો શણગાર કરાયો છે. સવારે આરતી બાદ બપોરે પ્રસાદરૂપે સરબતનું વિતરણ કરવામાં આવેલ. સાંજે બટુક ભોજન તેમજ દાંડીયા રાસના કાર્યક્રમો આયોજીત કરાયા છે. દાદાને નવી ધજા ચડાવવામાં આવી હતી. આખો દિવસ હનુમાન ચાલીસા અને ભકિત સંગીતના કાર્યક્રમોથી માહોલ ધર્મમય બનાવી દેવાયો હતો. અક્ષરનગર ભાવમય બન્‍યું હોય તેમ હનુમાન દાદાના જન્‍મોત્‍સવના વહાલથી વધામણા કરાયા હતા.

(10:47 am IST)