Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમે જામ્‍યો મીની કુંભ મેળો : ૭૦૦ થી વધુ સંતોની પધરામણી

રાજકોટ : શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ ૧૩ સુધી શ્રીરામચરિત માનસજીના નવાહ પાઠ તથા વિનય પત્રિકા પાઠનું આયોજન કરાયુ છે. જેમાં ચિત્રકુટ, અયોધ્‍યાય, વૃંદાવન, હરીદ્વાર, નેપાળ, નૈમીશારણ, ઋષિકેશ, મથુરા, પ્રયાગરાજ, બનારસ, ઉજૈન, ગયા (બિહાર) સહીત ભારતભરમાંથી ૭૦૦ જેટલા સંતોની પધરામણી થતા મીનીકુંભમેળા જેવું વાતાવરણ સદ્દગુરૂ આશ્રમ ખાતે ખડુ થયુ છે. બધા સંત ભગવાન માટે રહેવા જમવાની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ધર્મપ્રેમી અને ગુરૂભાઇ બહેનો પાઠ શ્રવણ અને સંત દર્શનનો બહોળી સંખ્‍યામાં લાભ લઇ રહ્યા છે.

(4:25 pm IST)