Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

મનહરપ્‍લોટના હિતેષભાઇનું ભુલથી એસિડ પી જતાં મોત

રાજકોટ તા. ૨૩: મનહરપ્‍લોટ શેરી નં. ૧૦માં રહેતાં હિતેષભાઇ મનસુખભાઇ  પરીખ (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ એસિડ પી જતાં મોત નિપજ્‍યું હતું.

હિતેષભાઇને ગઇકાલે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. પ્રશાંતસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી. તેમના મિત્રના જણાવ્‍યા મુજબ હિતેષભાઇ પરીખ કારખાનુ ચલાવતાં હતાં અને એકલા જ રહેતાં હતાં. તેમના બહેન બનેવી વિદેશ રહે છે. તેમણે સોડાની બોટલમાં ભરેલુ એસિડ ભુલથી પી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતુ.

(3:44 pm IST)