Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કોરોના મહામારીમાં સામાજીક ઉત્તરદાયિત્વ બદલ 'અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રાને પાઠક વિદ્યામંદિર અને વેલનોન કોલેજની છાત્રાઓએ રક્ષા બાંધી

રાજકોટ : શ્રીમતી એસ.કે. પાઠક વિદ્યામંદિર અને વેલનોન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સના સંયુકત ઉપક્રમે કોરોના મહામારીમાં રાજકોટ શહેરના નાગરીકો માટે કોરોના કાળમાં અદા કરેલ સામાજીક ઉત્તરદાયિત્વ બદલ અને રક્ષાબંધન મહાપર્વ પૂર્વે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને વિદ્યાર્થીનીઓ સર્વશ્રી રિદ્ધિ સિદ્ધપુરા, માનસી સાકરીયા, ચોવટીયા પુષ્ટિ, શેખલીયા ક્રિષ્ના, ભુવા ગોપીએ શિક્ષક શ્રી ગૌરવભાઈ નિમાવતની ઉપસ્થિતિમાં રાખડી બાંધી હતી તે સમયની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(2:58 pm IST)