Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વજુભાઈ વાળાના આશિર્વાદ લેવા પહોંચ્યા કેન્દ્રીય મંત્રી રૂપાલાજી

રાજકોટઃ ભાજપની જન આશીર્વાદ યાત્રાને લઈ રાજકોટ આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાના નિવાસસ્થાને જઈ તેઓના આશિર્વાદ મેળવ્યા હતા તે વખતની તસ્વીરમાં વજુભાઈને નતમસ્તક નમી આશિર્વાદ મેળવી રહેલા રૂપાલાજી દર્શાય છે. અન્ય તસ્વીરમાં વજુભાઈ વાળા સાથે લાક્ષણિક અદામાં વાતચીત કરી રહેલા રૂપાલાજી નજરે પડે છે. આ મુલાકાત વખતે રૂપાલાની સાથે યાત્રાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તેમજ રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તેમજ તેજશ ભટ્ટી વગેરે ઉપસ્થિત હતા જે તસ્વીરમાં નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:56 am IST)