Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભૂદેવો દ્વારા મીનેશભાઇ પંડયા અને ડો. હેમાંગભાઇ જોષીનું સન્‍માન

રાજકોટ : વડોદરા શિક્ષણ સમિતિના નવનિયુકત  ચેરમેન મીનેશભાઈ પંડયા તથા વાઈસ ચેરમેન ડો. હેમાંગભાઈ જોષી તથા શિક્ષણ સમિતિના સદસ્‍ય નિષિધભાઈ દેસાઈ રાજકોટ ખાતે પધાર્યા ત્‍યારે શહેરના ભુદેવો દ્વારા રાજકોટ સમસ્‍ત બ્રહમસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીની ઉપસ્‍થિતિમાં શાલ,શીલ્‍ડ, બુકે, હાર તેમજ વૈદિક મંત્રોચ્‍ચારથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજશભાઈ ત્રિવેદીએ ફુલહારથી સ્‍વાગત કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ જોષીએ કર્યૂ હતું. કાર્યક્રમની વ્‍યવસ્‍થા જયંતભાઈ ઠાકરએ સંભાળી હતી.સોમનાથની પ્રતિકૃતિથી કેતનભાઈ બોરીસાગરે સન્‍માન કર્યુ હતું. આ તકે બ્રહ્મસમાજના અગ્રણી અને પૂર્વ પ્રમુખ જર્નાદનભાઈ આચાર્ય, બ્રહમઅગ્રણી પરાગભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ જોષી, યોગેશભાઈ ભટૃ, સનીભાઈ જાની, રાજેશભાઈ મહેતા, કેતનભાઈ બોરીસાગર, ડો. રાજેશભાઈ ત્રિવેદી, અજય જોષી, હિતેશ જોષી, ઉદય જોષી, દર્શન પંડયા, હિતેશ રાવલ, સમીર પંડયા, નિરજ ભટૃ, દિલીપ જાની, ધવલ ભટ્ટ, ચિરાગ ભટ્ટ, ક્રિષ્‍ના ઉપાઘ્‍યાય, હિતેશ પંડયા, શૈલેષ પંડયા, કૃણાલ દવે, સ્‍વયંભુ બ્રહમસેવક ટીમના સમીર પંડયા, વિરલ ભારદ્વાજ,  હેતલ શુકલ, દર્શન પંડયા, વિપુલ જોષી, લંકેશ પુરોહીત, હર્ષ રાવલ, રૂચીત પંડયા સહિતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. 

(4:07 pm IST)