Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શહેરમાં વધુ ૭- મિલ્‍કતો સીલ : ૭૯ ટાંચ જપ્‍તીની નોટીસ

રાજકોટ : મનપાની વેરા વસુલાત શાળા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત  વોર્ડ નં-૬ માં સંત કબીર રોડ એરીયામાં ૭-યુનિટ નોટીસ આપેલ તથા ૧-યુનિટ સીલ, વોર્ડ નં-૭માં ગોંડલ રોડ ‘‘સમળધ્‍ધિ ભવન''માં ૧૨-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ,ગોંડલ રોડ ‘‘સમળધ્‍ધિ ભવન'' માં ૪-યુનિટને સીલ, વોર્ડ નં- ૧૩ ગુરૂ પ્રસાદ ચોક પાસે આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં- ૧૪ કેવડાવાડી વિસ્‍તારમાં આવેલ ૬-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ. આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૭- મિલ્‍કતોને સીલ કરેલ તથા ૭૯-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.૪૧.૮૬ લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા આસી.કમિશનર સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:01 pm IST)