Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શિવસેના દ્વારા સોમવારે બાળાસાહેબ અને સુભાષચંદ્ર બોઝને પુષ્‍પવંદના

રાજકોટ તા.ર૧ : બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલે શિવસેનાના આદ્યસ્‍થાપક શ્રી બાળાસાહેબ ઠાકરેજીને ‘ભારતરત્‍ન' અર્પણ માટે કેન્‍દ્ર સરકારનેપુનઃ રજુઆત માંગણી સાથે રાજકોટમાં  સુભાષચંદ્ર બોજની પ્રતિમા પારેવડી ચોકમાં મુકવા અને નજીકથી શરૂ થતા જુના મોરબી  રોડ, જુનુ રેલ્‍વે સ્‍ટેશન તરફથી મોરબી રોડ જકાત નાકા સુધી ‘બાળાસાહેબ ઠાકરે' માર્ગનુ નામકરણ કરવા મહાનગર પાલીકાને લેખીત રજુઆત કરેલ છે.

તા.ર૩ના સોમવારે સુભાષચંદ્ર બોઝ અને શિવસેના હિન્‍દુ હૃદય સમ્રાટ સ્‍વ. બાળા સાહેબ ઠાકરેજીને પુષ્‍પ વંદના કરાશે તેમ બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલ મો.૯૯૦૯પ ૯૦૧૦રની યાદીમાં જણાવેલ છેે.

(3:54 pm IST)