Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

બાળકો ઇશ્વરનું રૃપ : ઇશ્વરનું ઇશ્વરને અર્પણ : ઉદય કાનગડ

બાળકોની વ્હારે રાજકોટ-૬૮ના ધારાસભ્ય : શિક્ષણ સમિતિની શાળાઓના ૧૨ હજાર વિદ્યાર્થીઓને મોહનભાઇ કુંડારીયા, પ્રદીપ ડવ, : કમલેશ મિરાણી તથા અતુલ પંડીત સહિતના આગેવાનોના હસ્તે સ્વેટર વિતરણ

રાજકોટ તા. ૨૧ : વિધાનસભા-૬૮ (રાજકોટ પૂર્વ)ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ૧૨૫૦૦ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગરમ સ્વેટર વિતરણનો કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજકોટ-૬૮ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૨૯ શાળાઓના બાળકોને સ્વેટર વિતરણ કરાયેલ. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયા અને મેયર પ્રદીપભાઇ ડવ, શહેર મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અને નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇપંડિત, વલ્લભભાઇ દુધાત્રા, અર્િીશ્વનભાઇ મોલિયા તેમજ કોર્પોરેટરો, કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે ઉદયભાઇ કાનગડે જણાવેલ કે, બાળકો ઇશ્વરનું સ્વરૃપ છે ત્યારે ઇશ્વરે જીવનમાં ખૂબ જ આપ્યું છે તેથી આ કાર્યક્રમ ઇશ્વરનું ઇશ્વરને અર્પણ કરવા માટેનો છે. ભાજપનો કાર્યકર હંમેશા સેવા અને સંગઠનને માનનારો છે. તેથી જ સેવા કરવી એ દરેક ભાજપના કાર્યકરને ગળગુંથીમાં મળે છે.

(3:46 pm IST)