Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વીરદાદા જશરાજની પુણ્‍યતિથિ નિમિતે પંચનાથ મંદિરે કાલે રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજન

રાજકોટઃ રઘુવંશી લેડીઝ કલબ દ્વારા તા.૨૨ના રવિવારે પંચનાથ મંદિરે ૯થી ૧ સુધી વીરદાદા જશરાજની પુણ્‍યતિથિ નિમિતે થેલેસેમિયાગ્રસ્‍ત બાળકોને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે માટે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓના લાભાર્થે આયોજીત આ રકતદાન કેમ્‍પમાં અંદાજે ૧૦૦ રકતની બોટલ એકત્ર થશે. આયોજનમાં બિંદિયા અમલાણી, અંકિતા પોપટ, સાધના દતાણી, સંગીતા સેુતા, હીના કોટક, રોનક પારેખ, હીના પોપટ, કરુણા, નિકુંજભાઇ અમલાણી, વિજયભાઇ કારિયા, દેવાંગભાઇ માંકડ, તેજસભાઇ પારેખ, ધર્મેશભાઇ ભિંડોરા, આશિષભાઇ પુજારા, મનુભાઇ ભગત, કિશોરભાઇ સંપત, રાજેન્‍દ્રભાઇ તન્‍ના હિમાંશુભાઇ માંકડ, ધવલભાઇ માણેક, ધર્મેન્‍દ્રભાઇ કારીયા જોડાયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:40 pm IST)