Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

૨૨ જાન્યુઆરી : વીરદાદા જસરાજ શહિદ દિન

ભારતની ભુમિ એ શૌર્યભુમિ છે. સંતોના પગરવથી પવિત્ર થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્કૃતિ તથા હિંદુ ધર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતને ન્યોછાવર કરી છે. એવા એક શુરવીર યોધ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જશરાજને તેમના શૌર્યદિને યાદ કરીએ.

આવતી કાલે તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૨ના વીર દાદા જશરાજ ર્શીૌર્ય દિન છે.લોહરાણા દાદા જશરાજનું જન્મ સ્થળ લોહર કોટ. લોહ એટલે લોખંડ જેવા મજબુત. લોહરાણાઓ કે જેમણે ત્રણસો વર્ષ પર્યન્ત ભારત દેશની ચોકીદારી કરી. શુરવીરતા, સમર્પણતા, કરુણા અને કોઈના દુઃખમાં ભાગ લેવો એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે.

રાજા વસ્તુપાળ અને રાણી વીરકોરના પાટવી કુંવર મોટા પુત્ર વસ્તરાજ ઉર્ફે વચ્છરાજ દાદા અને નાના પુત્ર વીર જશરાજ જેમનો જન્મ ઈ.સ. ૧૦૩૨, વિક્રમ સંવંત ૧૦૮૭ હીજરી સન ૪૨૨માં થયો. બન્ને ભાઈ બાલ્યાવસ્થાથી જ વીર, તેજસ્વી અને ઘોડેસ્વારીમાં નિપુણ હતા અને વીર યોધ્ધા તરીકે ઓળખાતા હતા.

એ સમયમા હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવાની મહેચ્છા ધરાવતા વિધર્મીઓનો ખુબ વધારે ત્રાસ હતો. ભારતવર્ષમા કેટલાય વર્ષોથી સિંધમા વસતા ચોવીસીના લોહાણા મહારાણાઓ હિંદુ સંસ્કૃતિને માટે, ધર્મને માટે ગમેતે કરવા તૈયાર થતા. અને સામે વિધર્મીઓ અધર્મને માટે ગમે તે કરતા હતા. છળકપટ અને પીઠ પાછળ ઘા કરવો તેમનો સ્વભાવ હતો.

લોહર કોટના એ સમયના રાણા શ્રી વસ્તુપાળનો ઇસ્લામીક રાજા બીસમારગીન ઇરાની અને દુરાની જેવા વિધર્મીઓએ ગાયોને સામે રાખીને છળકપટથી વધ કરતા, તા. ૧૫-૦૧-૧૦૪૮ ને શુક્રવાર વિક્રમ સવંત ૧૧૦૩, હીજરી સન ૪૩૯ ના દિને કુંવર વચ્છરાજને લોહર કોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરન્તુ એક પગે અપંગતા હોવાથી દીલાવર દીલના વચ્છરાજ દાદા એ જાતે પોતાના નાના ભાઇ જસરાજ ને રાજતીલક કરી લોહર કોટના નવા મહારાણાની જાહેરાત કરી.

મહારાણા વસ્તુપાળે જસરાજના માથા પર હાથ ફેરવ્યો, કઇ બોલી તો ન શકયા પરંતુ કાબુલની દિશા તરફ પોતાની આંગળીથી નિર્દેશ કર્યો ત્યારે જસરાજ સમજી જાય છે અને હાથમા પાણી લઇ પ્રતિજ્ઞા લીધી કે તમારા સપનાને હુ પુરા કરીને જંપીશ. અમે વિધર્મીઓને હરાવીને જ જંપીશુ. દાદા જસરાજ અને તેમના સેનાપતિ સિંધુદેવ શર્મા બન્ને સોદાગરો જેવો વેશપલટો કરી કાબુલમા પ્રવેશ કરે છે. ત્યા જણાય છે કે, કાબુલના જલાલ ખાન નામના વિધર્મીએ લોહરગઢના જસરાજને જીવતો પકડે કે મારે તેને દસ લાખ અસરફીઓનુ ઇનામ જાહેર કર્યુ. દાદા જસરાજ સોદાગરના વેશમા જલાલખાન ને મળ્યા અને કહ્યુ હુ જસરાજને અત્યારે હાજર કરૃ તો.. કેવી રીતે ?  જલાલે પુછ્યુ. ત્યારે દાદા જસરાજ પોતાના અસલી રૃપમા આવ્યા અને તેમની વચ્ચે ખુંખાર જંગ શરૃ થયો.

જલાલખાનનો વધ કરીને વિધર્મીઓને હરાવ્યા. કાબુલના કિલ્લા ઉપર વિજય ધ્વજ ફરકાવ્યો. આ પછી તો ઘણા સમય સુધી લોહરાણાઓ એ વિધર્મીઓને અટકાવ્યા.

સમય જતા કુંવર જશરાજની સગાઈ ઉનડકોટના રાણા રઘુપાલ ઉનડકોટની દીકરી હરમાકુમારી સાથે થઈ હતી. વસંતપંચમીના દિવસે જયારે જસરાજજીના લગ્નનો દિવસ હતો એ દિવસે જ મલેચ્છ સેનાએ કંદહાર અને હિંદુકુશના રસ્તેથી આવી ઉનડકોટની નજીક જ આવેલ લાતુરગઢ ઉપર હુમલો કર્યો. ઉનડકોટમાં મહારાણા જશરાજના લગ્નમાં બધા મગ્ન હતા. મલ્લેછોએ ઉનડકોટની ગાયોનું હરણ કરી લીધુ હતું. એક ગોવાળે આ સમાચાર સેનાપતિ સિંધુદેવ શર્માને આપ્યા. તેઓએ પોતાના અંગત સાથીદારોને સાથે લઈ વિધર્મીઓની સામે બાથે ભીડયા. વિધર્મીઓએ ગાયોને સામે રાખી હતી હવે જો તેઓ શસ્ત્ર ઉપાડે, સામો પ્રહાર કરે તો ગાયોનું મૃત્યુ થાય માટે તેઓએ હાથબળથી યુધ્ધ કયુંર્ અને વિરગતી પામ્યા.

આખરે કાબુલનો દુશ્મન પરાજિત થયા. અને જશરાજ વિજયી થયા. લોહર સૈનિકના વેશમાં આવેલ એક શત્રુએ લગ્નની ખુશાલીમાં જશરાજ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી વંદન કરી દગાથી જશરાજની ગરદન ઉપર સાંગ મારી માથુ ઉતારી દીધું. જશરાજનું માથા વિનાનું ધડ પણ ઝનૂનથી લડે છે. ત્યારથી તેઓ લોહાણા અને ભાનુશાળીઓ દ્વારા વીર દાદા જશરાજ કુળદેવતા તરીકે પૂજાતા આવ્યા છે. અને તેની બહેન હરકોરની લોહાણા કુળ દ્વારા કુળદેવી તરીકે પુજા કરવામાં આવે છે. મહારાણા પ્રતાપના ચેતક ઘોડાની જેમ દાદા જશરાજનો પ્રિય અશ્વ લાલુ હતો જેમની ખાંભી આજે ઉનડકોટમાં જોવા મળે છે.

ધન્ય ધરા ભારતની કે જયાં રતન પાકતા આવા મોટાભાઈ મહારાણા દાદા વચ્છરાજ પોતાના ભાઈ જશરાજના આત્માને શાંત કરવા પ્રતિજ્ઞા લે છે કે જશરાજ અમે તારી શહીદીને અમર રાખીશું. અને અમે લોહાણા લગ્નમાં ખભે સફેદ ખેશ ઉપર કંકુ છાંટણા કરીશું અને લોહરાણીઓ સફેદ પાનેતર પહેરીને તમારી શહીદીને સદીઓ સુધી અમર રાખીશું.

ઈ.સ. ૧૦૫૮ની ૨૨ જાન્યુઆરીએ વિક્રમ સંવંત ૧૧૧૪ના મહાસુદ પાંચમ વસંત પંચમીની સાંજે ઉનડકોટના લાતુરી દરવાજા બહાર લોહરગઢના છેલ્લા મહારાણા વીરદાદા જશરાજની અંત્યેષ્ઠિવિધિ કરવામાં આવે છે. ગાયોની રક્ષા કાજે પોતાના દેહનું બલિદાન આપનાર શુરવીર વીરદાદા જશરાજની પૂણ્ય સ્મૃતિમાં ૨૨ જાન્યુઆરી શહિદ દીન કે શૌર્યદિન તરીકે દેશ-વિદેશમાં ઉજવાય છે.

(3:26 pm IST)