Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કાલે સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિના ૪૬૮ વિદ્યાર્થીઓનું સન્માન

રાજકોટઃ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ- વડોદરા સંલગ્ન રાજકોટ જિલ્લા તથા શહેર પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે તા.૨૨ને રવિવારે બપોરે ૧:૩૦ થી ૭ સુધી યોજાનાર સમસ્ત પ્રજાપતિ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ૪૬૮ વિદ્યાર્થીઓનું સન્માન થનાર છે.  દરેક વિદ્યાર્થીઓને ઈનામ લેતી વખતે પોતાનું આધારકાર્ડ સાથે રાખવા યાદીમાં જણાવાયું છે.

સાથે સાથે સમાજના અગ્રણીઓ અને મહેમાનોનો સત્કાર સમારંભ રાખેલ છે. આ પ્રસંગે પૂ.શ્રી સ્વામી પરમાત્માનંદ સરસ્વતિજી (આર્ષ વિદ્યાલય-મુંજકા) આશીર્વચન પાઠવશે. તેમ સંઘના ટ્રસ્ટી વસંતભાઈ ચૌહાણએ જણાવ્યું છે.

(3:23 pm IST)