Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ગોંડલમાં વ્‍યાજખોરીના ગુન્‍હામાં પકડાયેલ રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત ૩ જામીનમુક્‍ત

રાજકોટ તા. ૨૧ : ગોંડલના ભુણાવા ગામના યુવાન પાસેથી વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુન્‍હામાં પકડાયેલ રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર સહિત ત્રણને જામીનમુક્‍ત કરાયા હતા.

પ્રાપ્‍ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા સંજય વલ્લભભાઈ કપુરીયા એ રાજકોટના દીપેન જશમતભાઈ વસોયા, માધવીપુરના પીન્‍ટુ પરસોત્તમભાઈ પરસાણા તેમજ રાજકોટના જયદીપ ભીખાભાઈ વસોયા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં વ્‍યાજંકવાદ અંગે ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્‍યું હતું કે તેણે ઉપરોક્‍ત ત્રણેય શખ્‍સો પાસેથી રૂપિયા ૫૦ લાખ ૫ ટકા માસિક વ્‍યાજે લીધા હતા જેની સામે ૧.૩૭ કરોડ વ્‍યાજના ચુકવી દિધા હોવા છતાં વ્‍યાજખોરોએ ભુણાવાની ચાર એકર જમીન નો વેચાણ દસ્‍તાવેજ પણ કરાવી લીધો હતો અને તેમ છતાં પણ સવા કરોડની માંગ કરી ધાક ધમકી આપતા હોય ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ મનીલેન્‍ડ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધી પીએસઆઇ મહિપાલસિંહ ઝાલા અને રાઇટર મુકેશભાઈ મકવાણાએ ઉકત ત્રણેયની ધરપકડ કરી હતી. પકડાયેલ ત્રણ શખ્‍સો પૈકી જયદીપ વસોયા રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયાનો પુત્ર છે.

પકડાયેલ રાજકોટના જયદીપ વસોયા તથા દિપેન વસોયા અને પિન્‍ટુ પરસાણા રે. માધવીપુર તા. તાલાલા ગીરને પોલીસે મથકથી જ જામીન ઉપર મુકત કરાયા હતા.D

(11:32 am IST)