Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

બાકીદારો સામે મનપાની લાલ આંખ : ત્રણ મિલ્‍કતોધારકોના નળ કનેકશન કપાયા

પ૬ મિલ્‍કતો ટાંચ જપ્તીની નોટીસ- ત્રણ મિલ્‍કત સીલ : પ૦.૪૬ લાખની વસુલાત

રાજકોટ, તા. ર૦ : મ્‍યુ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખા દ્વારા વર્ષે-ર૦ર૩ નો મિલ્‍કત વેરો વસુલવા ઝુબેશ હાથ ધરાઇ છે. જે અન્‍વયે આજે બાકી વેરો વસુલવા કોઠારીયા રોડના દિવાનપરા, સિધ્‍ધાંત સોસાયટી તથા મેહુલનગર વિસ્‍તારમાં ત્રણ મિલ્‍કતોના નળ કનેકશન કપાઇ કરવામાં આવ્‍યા હતા.  જયારે  ત્રણે મિલ્‍કતો સીલ તથા પ૪ મિલ્‍કતને ટાંચ જપ્તની નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત બપોરે સુધીમાં પ૦.૪૬ લાખની વસુલાત કરવામાં આવી હતી.

આ મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ વેરા શાખા દ્વારા વર્ષ-ર૦ર૩ ની રીકવરી ઝુબેશ અંતર્ગત આજે ગાયકવાડી, નાગરિક બેંક પાસે આનંદ ચોક, ઢેબર રોડ ઉપરના અબ્‍બાસી ચેમ્‍બર્સ, નગીનદાસ, એકતા ટાવર્સ, પ્રકાશ સોસાયટી, કેવડાવાડી, આજી વસાહત સહિતના વિસ્‍તારોમાં પ૪ મિલ્‍કતોને ટાંચ જપ્તની નોટીસ તથા ત્રણ મિલ્‍કતોને સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૬ના કોઠારીયા ઉપર આવેલ દિવાનપરા, સિધ્‍ધાંત સોસાયટી, તથા મેહુલનગરમાં ત્રણ મિલ્‍કતોના નળ કનેકશન કપાત કરવામાં આવ્‍યા હતા.

બપોર સુધીમાં વેરા શાખા દ્વારા પ૦.૪૬ લાખની વસુલાત કરવામાં આવી છે.

(3:20 pm IST)