Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

કોંગ્રેસ ફરીયાદ સેલના ચેરમેન તરીકે ઘનશ્‍યામભાઇ મકવાણાની વરણી

રાજકોટ તા. ર૧: હાલ તાજેતરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની અનુમતીથી તથા     ગુજરાત પ્રદેશ ફરીયાદ સેલના મહામંત્રી આશિષસિંહ વાઢેર તથા મહેન્‍દ્રભાઇ પટેલની ભલામણથી શહેર કોંગ્રેસ ફરીયાદ સેલ શહેરના ચેરમેન તરીકે ઘનશ્‍યામભાઇ મકવાણાની નિમણુંક કરવામાં આવી છે.
ઘનશ્‍યામભાઇ ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સક્રીય કાર્યકર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તથા અલગ અલગ સેવાકીય સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે. હોસ્‍પીટલોના સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. આ નિમણુંકને શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ ડાંગર, ડો. હેમાંગ વસાવડા, મહેશભાઇ રાજપુત, પ્રદીપભાઇ ત્રીવેદી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, દિલીપભાઇ ત્રીવેદી, ધમભા પરમાર, ભાવેશ ખાચરીયા, રાજુ માંડલીયા, જસવંતસિંહ ભટ્ટી, જીજ્ઞેશ વાગડીયા, દિલીપસિંહ વાઢેર, રાજદિપસિંહ જાડેજા, ભાર્ગવ પઢીયાર, અંકુર માવાણી, આદિત્‍યસિંહ ગોહિલ, કેતન જરીયા, રામભાઇ ઝીલરીયા, ઠાકરસીભાઇ, મુકેશ પરમાર, મહિલા પ્રમુખ, મનીષાબા વાળા, ભાવીષાબેન પરમાર, સંજય લાખાણી તથા એન.એસ.યુ.આઇ. યુથ કોંગ્રેસ, સેવાદળ, શહેર આગેવાનો, સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, પુર્વ કોર્પોરે઼ટર તથા કોંગ્રેસ કાર્યકર મિત્રોએ આવકારેલ હતી.

 

(3:35 pm IST)