Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ઘંટેશ્વર વિસ્‍તારના ખુલ્લા વોંકળા પેક કરોઃ રજૂઆત

આ વિસ્‍તારમાં તાકિદે સમસ્‍યા ઉકેલવા કોર્પોરેટર દુર્ગાબા જાડેજા દ્વારા મ્‍યુ. કમિશ્નરને લેખીત પત્ર પાઠવ્‍યો

રાજકોટ, તા. ૨૧ :. ઘંટેશ્વર વિસ્‍તારમાં ખુલ્લા વોંકળા બંધ કરવા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા દ્વારા મ્‍યુ. કમિશ્નરને રજૂઆત કરી હતી. આ અંગે દુર્ગાબાએ મ્‍યુ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્‍યુ હતુ કે વોર્ડ નં. ૧ ઘંટેશ્વર વિસ્‍તારમાં ખોડીયાર મંદિર પાછળ આવેલ ખુલ્લો વોંકળો બંધ કરવા વિનંતી.. જેના કારણે આજુબાજુના રહેવાસી લોકોને ગંદકીના કારણે રોગચાળાનો ભય ફેલાયો છે. આ સમસ્‍યા ઉકેલવા આ અંગે રજૂઆતો કરી છે. ઘંટેશ્વર વિસ્‍તારમાં ખુલ્લા વોંકળા બંધ કરવા અને તેમનો નિકાલ કરવા માંગ કરી છે.

 

(3:31 pm IST)