Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

હોસ્‍પીટલ ચોક બ્રિજનું નામકરણ ડો.આંબેડકરજી કરવા રજુઆત

આ અંગે યોગ્‍ય કરવા મ્‍યુ. કમિશ્નર અને મેયરને બહુજન સમાજ પાર્ટી દ્વારા પત્ર પાઠવાયો

રાજકોટ, તા., ૨૧: શહેરના હોસ્‍પીટલ ચોકમાં નિર્માણ પામી રહેલ ટ્રાન્‍યએંગલ ઓવર બ્રીજનું નામ ડો.બાબા સાહેબ આંબેડકર રાખવા બહુજન સમાજ પાર્ટી દ્વારા મ્‍યુ. કમિશ્નર અને મેયરને લેખીત પત્ર પાઠવી યોગ્‍ય કરવા રજુઆત કરી છે.
આ અંગે બીએસપીએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, રાજકોટના સિવિલ હોસ્‍પીટલ ચોકમાં મનપા દ્વારા ટ્રાયન્‍ગ્‍યુલર બ્રીજનું નિર્માણ હાલમાં થઇ રહયું છે. ત્‍યારે આ બ્રીજનું નામ ડો.બાબાસાહેબ આંબેડકર બ્રીજ નામકરણ કરવા માંગ કરવામાં આવી છે તેમ બીએસપીના પ્રભારી દિનેશ પડાયાની યાદીમાં જણાવાયું છે.

 

(3:31 pm IST)