Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

આનંદનગરમાં દોરીમાં સુકાતા કપડામાં આગ લાગીઃ ઠારવા જતાં દાઝેલા મંજુલાબેનનું મોત

૬૫ વર્ષના કડીયા વૃધ્‍ધાએ આઠ દિવસની સારવારને અંતે દમ તોડયો

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ આનંદનગર કોલોની બગીચા સામે બ્‍લોક નં. બી-૨ રૂમ નં. ૪૮૨માં રહેતાં મંજુલાબેન મનહરભાઇ કાચા (ઉ.વ.૬૨) તા. ૧૩ના બપોરે ઘરની ગેલેરીમાં દોરીમાં સુકવેલા કપડા શોર્ટ સરકિટને લીધે સળગતાં પોતે આગ ઓલવવા જતાં દાઝી જતાં સારવાર હેઠળ હતી. આઠ દિવસની સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ આનંદનગરમાં રહેતાં મંજુલાબેન ગત ૧૩મીએ બપોરે ઘરમાં હતાં ત્‍યારે ગેલેરીમાં બાંધેલા તારમાં કપડા સુકવ્‍યા હોઇ તે શોર્ટ સરકિટને લીધે સળગતાં પોતે આગ ઓલવવા જતાં છાતી-પેટના ભાગે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતી. ગત મોડી રાતે તેમનું મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં ભક્‍તિનગરના પીએસઆઇ આર. એન. હાથલીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. બનાવ આકસ્‍મિક રીતે જ બન્‍યાનું સ્‍વજનોએ પોલીસને જણાવ્‍યું હતું.

(3:23 pm IST)