Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પારિજાત સોસાયટીના બુટલેગર ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફ મુન્‍ના પરમારને પાસાઃ વડોદરા જેલહવાલે

અગાઉ દારૂ, આર્મ્‍સએક્‍ટ, અપહરણ બળાત્‍કાર સહિતના ૭ ગુનામાં સંડોવણીઃ પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૧: વધુ એક બૂટલેગરને પોલીસ કમિશનરે પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. યુનિવર્સિટી રોડ પર પારિજાત સોસાયટી-૬ દરિયાલાલ મંદિર સામે રહેતાં ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફ મુન્‍ના જયદેવસિંહ પરમાર (ઉ.વ.૪૫)ને પાસા તળે વડોદરા જેલમાં ધકેલવાનું વોરન્‍ટ સીપી મનોજ અગ્રવાલે ઇશ્‍યુ કરતાં બજવણી કરી વડોદરા જેલહવાલે કરવામાં આવેલ છે.

ધર્મેન્‍દ્રસિંહ ઉર્ફ મુન્‍ના વિરૂધ અગાઉ ડીસીબી, કુવાડવા રોડ, યુનિવર્સિટી પોલીસ તથા સુરેન્‍દ્રનગર મુળી પોલીસ મથકમાં  દારૂના પાંચ અને આર્મ્‍સ એક્‍ટ તથા અપહરણ, બળાત્‍કાર, ઠગાઇની કલમો હેઠળ સાત ગુના નાંધાઇ ચુક્‍યા છે.

વોરન્‍ટ બજવણીની કાર્યવાહી એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્‍સ. યોગેન્‍દ્રસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.

(3:20 pm IST)