Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પાંજરાપોળના હોદેદારો દ્વારા કિશોરભાઇ કોરડીયાનું બહુમાન

નાદુરસ્ત તબીયત છતાં ૮.૪૧ લાખનું અનુદાન એકત્ર કરતા

રાજકોટ,તા. ૨૧ : મહાજન શ્રીની પાંજરાપોળ માટે જીવદયા 'રત્ન' કિશોરભાઇ કોરડીયાએ ત્રણ લાખનો અભિગ્રહ કરેલ છતાં તેમના મંડપમાં આઠ લાખ એકતાળીસ હજાર જેવી માતબર રકમ પ્રાપ્ત કરતા, પાંજરાપોળનો હોદેદારો મુકેશભાઇ બાટવીયા, યોગેશભાઇ શાહ, મેનેજર અરૂણભાઇ દોશીએ તેમના ઘરે જઇને તેમનું બહુમાન કરેલ.

રાજકોટ મહાજનશ્રીના યોગેશભાઇ શાહ જણાવેલ કે કિશોરભાઇ છેલ્લા ૩૬-૩૬ વર્ષથી જીવદયાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. લાખો રૂપિયાનું દાન આજદિન સુધી એકઠુ કરી પાંજરાપોળને અર્પણ કરેલ છે. હાલમાં તો તેમની તબીયત પણ નાદુરસ્ત હોય છતાં જીવદયા પ્રત્યે અથાગ લગાવ તે પોતાનું મનોબળ મક્કમ હોવાથી માતબર રકમ પ્રાપ્ત કરેલ છે.

કિોરભાઇના કાર્ય માટે રાજકોટ મહાજનશ્રીના પાંજરાપોળના સુમતભાઇ કામદાર, શ્રેયાંશભાઇ વિરાણી, કરણભાઇ શાહ, પંકજભાઇ કોઠારી, મુકેશભાઇ બાટવીયા, યોગેશભાઇ શાહ, બકુલભાઇ રૂપાણી, દિલીપભાઇ વસા, સંજયભાઇ મહેતા, કાર્તિકભાઇ દોશી, એડવોકેટ કમલેશભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહે શુભેચ્છા પાઠવેલ છે.

(3:08 pm IST)