Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

વિરપુરથી બેભાન મળેલી અજાણીસ્ત્રીનું રાજકોટમાં મોતઃ વાલીની શોધખોળ

દાખલ કરતી વખતે સોનમ પરગાડ નામ લખાવ્‍યું હતું

રાજકોટ તા. ૨૧: વિરપુરના સાઇબાબા મંદિર પાસેથી અજાણી આશરે ૩૦ વર્ષની મહિલા બેભાન મળતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. દાખલ કરાવતી વખતે આ મહિલાનું નામ સોનમબેન પરગાડ લખાવાયું હતું. સારવાર દરમિયાન રાતે મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે વિરપુર પોલીસને જાણ કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના સગા હોય તો વિરપુર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

(11:43 am IST)