Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

બીસીએ પ્રશ્નપત્ર લીક મામલે યુનિવર્સિટી તપાસ કરી પોલીસ ફરીયાદ નોંધાવે : યુવરાજસિંહ જાડેજાની વાઈસ ચાન્સેલર નિલામ્બરી દવે સમક્ષ માંગણી

રાજકોટ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાઈ રહેલી બીસીએ પરીક્ષાના ૩ પ્રશ્નપત્ર પરીક્ષાના નિર્ધારીત સમય પહેલા વોટ્સએપ ગ્રુપ મારફત લીક થયાનો ધડાકો કર્યો હતો. આજે તેમણે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નિલામ્બરીબેન દવેને મળીને આ મામલે તલસ્પર્શી તપાસ કરી યુનિવર્સિટી જ જવાબદાર કોલેજ અને લાભાર્થી પરીક્ષાર્થીઓ સામે ફરીયાદ નોંધાવે તેવી માંગણી કરી હતી. તેમણે અકિલાને જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસ રાહ જોઈ ફરી પાછો આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરીશ

(4:07 pm IST)