Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સિનીયર ફોટોગ્રાફર અરવિંદભાઈ વાઘેલાનું દુઃખદ અવસાન

રાજકોટમાં વર્ષોથી અખબારી તસ્વીરકાર તરીકે ફરજ બજાવી રહેલા અને સાંજ સમાચારના સિનીયર ફોટોગ્રાફર અરવિંદભાઈ વાઘેલાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયુ છે. તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે બપોરે હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તેઓનો જીવનદીપ ઓલવાયો હતો. અરવિંદભાઈ લાંબા સમયથી રાજકોટના ફોટોગ્રાફી ક્ષેત્રે સક્રિય સંકળાયેલા હતા.

(12:52 pm IST)