Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

મોચીબજારમાં શિક્ષીકા હંસાબેન બગડાનું બેભાન થયા બાદ મોત

અન્ય બે બનાવમાં રેસકોર્ષ પાર્કના મધુબેન બાથરૂમમાં પડી ગયા બાદ અને શ્રમજીવીમાં અશ્વિનભાઇ ઘરે પડી ગયા બાદ મોત

રાજકોટ તા. ૧૯: મોચી બજાર તિલક પ્લોટમાં બાલ મંદિર સામે રહેતાં હંસાબેન ગીરધરભાઇ બગડા (ઉ.વ.૫૫)ને કેન્સરની બિમારી હોઇ ઘરે વહેલી સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર હંસાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે તરઘડીયા પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં.

અન્ય બનાવમાં રેસકોર્ષ પાર્કમાં રેલ્વે ફાટક પાસે રહેતાં મધુબેન ચંદ્રકાંતભાઇ કારેલીયા (ઉ.વ.૬૬) બાથરૂમમાં પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

ત્રીજા બનાવમાં ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીમાં ૨/૭ના ખુણે રહેતાં અશ્વિનભાઇ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ઉલ્ટી થતાં પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃતક ફલેકસ બેનરનું કામ કરતાં હતાં.

(1:01 pm IST)