Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

કાલાવડના વિરવાવમાં શારદાબેને ઝેર પીધું: પડોશીના ત્રાસનો આક્ષેપ

સારવાર માટે મહિલાને રાજકોટ ખસેડવામાં આવ્‍યા

રાજકોટ તા. ૧૮: કાલાવડના વીરવાવમાં રહેતાં શારદાબેન ગીરધરભાઇ નિમાવત (ઉ.વ.૫૦)એ રાતે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી. શારદાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ પુજા પાઠના સામાન, છુટક કરીયાણાની દુકાન ચલાવે છે. પરિવારજનોએ કહ્યું હતું કે કેટલાક પડોશી સતત હેરાન કરે છે. આ વિસ્‍તારની જગ્‍યા તેની છે તે છોડીને જતાં રહો તેમ કહી પરેશાન કરે છે. આ કારણે કંટાળીને દવા પી લીધી હતી.

 

 

(1:50 pm IST)