Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

શ્રીજી પરિવાર દ્વારા કાલે થેલેસેમિયા પિડીત બાળકો માટે રક્તદાન કેમ્પ

રાજકોટ તા. ૧૭ઃ  શહેરના શ્રીજી પરિવાર ગ્રૂપ દ્વારા   મિત્ર સ્વ. વિજયભાઈ કાંતિભાઈ પારેખની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગરીબ દર્દી તેમજ  રાજકોટ સિવિલ હોસ્પિટલના થેલેસમિયાગ્રસ્ત બાળકો માટે  બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કાલે તા. ૧૮ના સવારે ૮ થી ૧૦ સુધી રૈયા રોડ બ્રહ્મ સમાજ સોસાયટી હોલ ખાતે રાખેલ છે. જેમાં રક્તદાન કરવા ઈચ્છુક રક્તદાતાઓને ૯૯૨૫૭ ૯૯૦૯૯ ઉપર સંપર્ક કરવા શ્રીજી પરિવાર દ્વારા ઍક યાદીમાં જણાવ્યું છે. (૧૪.૮)

(5:51 pm IST)