Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

પ્રમુ મહાવીર જન્‍મકલ્‍યાણકે જૈનોના તમામ ફીરકાઓ જયણાપૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે

નવકારના નવ પદના નવ સ્‍ટેજ ઉપરથી બાળકો ભગવાન શ્રી મહાવીર સ્‍વામીના અક્ષત વધામણા કરશે

આજે અકિલા'ની મુલાકાત દરમિયાન અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા ટીમ જૈનમ્‌ના કમલેશભાઇ શાહ, વિભાશભાઇ શેઠ, જયભાઇ ખારા, અશોકભાઇ વોરા, જયભાઇ કામદાર, કુશલભાઇ કોઠારી, દિવ્‍યેશભાઇ ગાંધી, મિલેશભાઇ મહેતા, વંદીતભાઇ દામાણી, પારસભાઇ વખારીયા, હિતીશભાઇ મણીઆર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

 

રાજકોટ તા. ૧૭ : આગામી રવિવાર તા. ૨૧ના રોજ જૈનમનાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્‍ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્‍યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં  સ્‍થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્‌ રાજચંદ્ર ટ્રસ્‍ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્‍થાઓનાંના તમામ સભ્‍યો સહીતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાંપૂર્વકની વિધીથી બનાવેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશે. સાથે આ વર્ષની ધર્મયાત્રા-ધર્મસભાનાં અધ્‍યક્ષની વરણી કરવામાં આવી છે તમામ ફલોટસ ધારકોને સબસીડી, વેશભુષાનાં સ્‍પર્ધકોને ગીફટ અને વિજેતા બાળકોને ઈનામોથી નવાઝવા માટે દાતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ધર્મયાત્રામાં નવકારનાં નવ પદ એવા નવ સ્‍ટેજ અને દરેક સ્‍ટેજ ઉપર ૧૨ બાળકો મળી કુલ ૧૦૮ બાળકો દ્વારા ધર્મયાત્રાને વધાવવામાં  આવશે.

રવિવારનાં રોજ ૭૦૦૦ થી પણ વધુ જૈનો જેમાં ચારેય ફિરકાનાં જૈનો, વિવિધ સંઘો, સાથી સંસ્‍થાઓ, સોશ્‍યલ ગ્રુપો, મહિલા મંડળ, યુવક મંડળ સહીતનાં જૈનોનો સમાવેશ થાય છે તેવો એક ભાણે બેસીને ગૌતમ પ્રસાદનો અનેરો લ્‍હાવો લેશે.  વર્ષોથી પરંપરાગત રીતે પીરશાતી વાનગીઓ સાથેનો આ ગૌતમ પ્રસાદ બનાવવા માટે સંપૂર્ણ જયણાપૂર્વકની વિધીનું ખાસ ધ્‍યાન આપવામાં આવે છે.

આ વખતનાં ગૌતમ પ્રસાદનાં દાતા તરીકે દામીનીબેન પિયુષભાઈ કામદાર-હ.જય અને વિશેષ પિયુષભાઈ કામદાર, રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ પરિવાર, માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેસાઈ - હ.મલય અનિલભાઈ દેસાઈ, માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ - હ.જીગરભાઈ શેઠ, માતુશ્રી તારામતીબેન ઈશ્વરભાઈ દોશી પરિવાર - હ. રાજન મુકેશભાઈ દોશી - મોર્ડન, માતુશ્રી સ્‍વ.અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, માતુશ્રી લીલમબેન નગીનદાસ ગોડા પબ્‍લીક ચેરી. ટ્રસ્‍ટ - હ.વિરેશ, હરેન, ચંદ્રેશ પ્રવિણચંદ્ર ગોડા, શ્રી રતિ ગુરુ ચેરી. ટ્રસ્‍ટ-હ. ટી.આર. દોશી, માતુશ્રી રસિલાબેન ચિમનલાલ માટલીયા-હ.અલ્‍કાબેન દિપકભાઈ માટલીયા અને નિકેતાબેન રૂપેશભાઈ માટલીયા, માતુશ્રી ભાવનાબેન નવિનચંદ્ર અજમેરા-હ. દેવ, દિપ જનીશભાઈ અજમેરા અને પરમ પારસ અજમેરા, માતુશ્રી સ્‍વ.ચંદ્રાબેન નટવરલાલ શાહ-હ. જાગૃતિબેન કમલેશભાઈ શાહ તેમજ સુનિતાબેન જિજ્ઞેશભાઈ શાહ, શ્રીમતિ ભાવનાબેન હસમુખભાઈ શાહ પરિવાર - હ.દર્શનભાઈ શાહ, માતુશ્રી નિલમબેન જયકાંતભાઈ વાધર પરિવાર - હ.અનિષભાઈ, ભાવિનભાઈ, માતુશ્રી દમયંતિબેન ભોગીલાલ દોશી - હ.ભરતભાઈ - વરૂણભાઈ, શ્રીમતિ સુધાબેન જયેશભાઈ શાહ - હ.ભાવિક-વિરા-દિયા-દેવર્શ, એક સદગ્રહસ્‍થ તરફથી, માતુશ્રી કલાવંતીબેન ભુપતલાલ માઉં - હ.શિલાબેન શૈલેષભાઈ માઉં, માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ પરિવાર - હ.મિહીર વિભાસભાઈ શેઠ, માતુશ્રી સગુણાબેન દિલીપભાઈ ઉદાણી હ.સુજીત, પારૂલ, પ્રિયંકા, પુજા, માતુશ્રી વસંતપ્રભાબેન હસમુખભાઈ વસા પરિવાર, માતુશ્રી ગુલાબબેન અનિલભાઈ મહેતા તથા શ્રીમતિ વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્‍મરણાર્થે - હ. હિતેશભાઈ મહેતા પરિવાર, દોશી ઈલેકટ્રીક ડેકોરેશન- હ.જુગલ દોશી - નયન દોશી અને મલય દોશી - રોનક દોશી,  માતુશ્રી હિરાલક્ષ્મીબેન જે. કોઠારી - હસ્‍તે : ધિમંત-ચારૂ, કૌશીક, જીતુ, દિપ્તી, હસ્‍તી, શ્રી ખારા પરિવાર-વિરેન્‍દ્રભાઈ, ગિરીશભાઈ, જિતેન્‍દ્રભાઈ, સુનિલભાઈ તથા ખારા પરિવાર વિગેરેએ લાભ લીધેલ છે.  

 સમગ્ર ધર્મયાત્રાનાં રૂટ ઉપર નવકાર મંત્રનાં નવ પદ મુજબ નવ સ્‍ટેજ બનાવવામાં આવનાર છે જે દરેક સ્‍ટેજ પરથી ૧૨-૧૨ બાળકો એમ મળી કુલ ૧૦૮ બાળકો યાત્રા દરમ્‍યાન ભગવાન મહાવીર સ્‍વામીનાં અક્ષત વધામણાં કરવાના છે. આ નવ સ્‍ટેજ બનાવવા માટે દાતા સ્‍વ.હસમુખભાઈ જે. દેસાઈ પરીવાર - તપસ્‍વી સ્‍કુલ, રોટરી કલબ ઓફ રાજકોટ, શ્રી યુનિવર્સિટી શ્વે. મૂર્તિ.જૈન સંઘ, મનીષભાઈ એમ.દોશી તથા સેજલબેન મનીષભાઈ દોશી, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ રોયલ, ડો.પારસ દીલીપકુમાર શાહ પરિવાર, ઈકોનો બોકીંગ પ્રા.લી. - સુનીલભાઈ શાહ, માતુશ્રી અનસુયાબેન છબીલભાઈ શાહ પરિવાર-દિપાબેન જયેશભાઈ શાહ (સોનમ કલોક), માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ પરિવાર (લેવલ-૬) વિગેરે દાતાઓએ લાભ લીધેલ છે.

(3:05 pm IST)