Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કાલે અગિયારસઃ શ્‍યામલાલજીની હવેલીમાં ગોપી મંડળના કીર્તન

રાજકોટઃ શહેરની સૌથી પ્રાચીન શ્રી શ્‍યામલાલજીની હવેલીમાં ગોપી મંડળના ઠાકોરજી સન્‍મુખ કીર્તન કાલે તા.૧૮ના શનિવારના એકાદશી (અગિયારસ)ના દિવસે સાંજે ૬ થી ૭:૩૦ રાખેલ છે. ત્‍યારબાદ કણીકા પ્રસાદ (અલ્‍પ આહાર) પણ રાખેલ છે. સમગ્ર વૈષ્‍ણવ સૃષ્‍ટિને પ્રભુના કીર્તનનો અલોકીક લાભ લેવા મુખિયાજી શ્રી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ અપાયું છે. સ્‍થળ- શ્રી શ્‍યામલાલજીની હવેલી (જુની સદરની હવેલી), પંચનાથ મેઈન રોડ, જય સીયારામ પેંડાવાળાની સામે, રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(4:19 pm IST)