Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

રવિવારે બાપા સીતારામ ગૌશાળામાં ગૌમાતાઓને ૧૧૧ કીલો લાડવા અર્પણ કરાશે

રાજકોટઃ જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્‍દ્ર દ્વારા રવિવારે તા.૧૯ના બાપા સીતારામ ગૌશાળામાં ગૌમાતાઓને ૧૧૧ કીલો લાડવા અર્પણ કરાશે. આ કાર્ય રામધુન તથા હનુમાનચાલીસા ગાતાગાતા શ્રમયજ્ઞથી કરવામાં આવશે. આ શ્રમયજ્ઞનનું આયોજન તા.૧૮ શનિવારના રોજ સાંજે ૪.૩૦ વાગ્‍યે રાજકૃતિ એપાર્ટમેન્‍ટ, એફ.૧, એરપોર્ટ રેલ્‍વેફાટક પાસે કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે પુનમ તથા અમાસના દિવસે ગૌમાતાઓને લાડવા અર્પણ કરવામાં આવી રહયા છે. સાથોસાથ દરરોજ શ્વાનોને ભાવતો ખોરાક દુધ રોટલી અલગ અલગ ૨૨ જગ્‍યાએ અર્પણ પણ કરવામાં આવી રહયો છે. જરૂરી સેવાકાર્ય માટે ચંદુભાઇ ગોળવાળા મો.૯૩૭૪૧ ૦૧૭૧૬, મનુભાઇ બલદેવ મો.૯૮૨૪૮ ૧૫૭૬૭, પ્રિયવદનભાઇ ભટ્ટ મો. ૯૪૦૮૦ ૦૩૨૬૯ પર સંપર્ક કરી શકાશે.

(4:09 pm IST)