Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી છાત્રો-શ્રેષ્ઠીઓનું સન્માનઃ સ્નેહમિલનઃ ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટનાં પ્રમુખ પ્રફુલભાઇ જોષી, મહામંત્રી હરેશભાઇ જોષી, સંયુકત અખબારી યાદીમાં જણાવે છે કે હરસાલની જેમ આ વર્ષે પણ તેજસ્વી છાત્રનું સન્માન ટ્રોફી-પ્રમાણપત્રો આપી કરવામાં આવેલ. સાથે વડીલો (સીનીયર સીટીઝન) તેમજ જ્ઞાતિના શ્રેષ્ઠીઓ જેવા કે સામાજીક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરેલ તેવા શ્રેષ્ઠીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ ત્રિવિધ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ અનંતભાઇ ભટ્ટ-દાદા તેમજ કાર્યક્રમનું દિપ પ્રાગટય સમસ્ત ચિભડીયા બ્રહ્મ સમાજ ઓલ ઇન્ડીયાના પુર્વ પ્રમુખ કિશોરભાઇ ભટ્ટ રહેલ. ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ રાજકોટનાં વર્તમાન પ્રમુખ પ્રફુલભાઇ જોષીએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ ત્રિવિધ કાર્યક્રમ સફળ બનાવવા પ્રમુખ પ્રફુલભાઇ જોષી મહામંત્રી હરેશભાઇ જોષી ઉપપ્રમુખ ભાવીનભાઇ ભટ્ટ શ્રી દાળેશ્વર વિકાસ સમીતીના પ્રમુખ ગિરીશભાઇ રાવલ અન્ય કારોબારી સભ્યો હોદેદારો, જયેશભાઇ રાવલ, અનિલભાઇ ત્રિવેદી, બીપીનભાઇ રાવલ, નરેન્દ્રભાઇ ભટ્ટ, કિશોરભાઇ ત્રિવેદી, નિલેશભાઇ પાણેરી, ધર્મેન્દ્રભાઇ રાવલ, જીતેન્દ્રભાઇ રાવલ, દિગંતભાઇ જોષી, અંશુમનભાઇ ત્રિવેદી, કિલ્લોલભાઇ જોષી, મનોજભાઇ ઠાકર, જીજ્ઞેશભાઇ રાવલ, રાજેન્દ્રભાઇ ઠાકર, કરણરાજ ઠાકર, અરવિંદભાઇ રાજયગુરૂ, અશ્વીનભાઇ રાવલ સહીતના કારોબારી સભ્યો હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજનાં પુર્વ પ્રમુખો પ્રભુભાઇ ત્રિવેદી, સુભાષભાઇ ઠાકર, રાજુભાઇ જોષી, અશોકભાઇ જોષીનું વિશેષ સન્માન કરવામાં આવેલ તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:29 pm IST)