Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આયોજીત સમુહ લગ્નોત્સવઃ ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડીને સંસાર યાત્રાનો પ્રારંભ

રાજકોટઃ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૪૯મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ સંતો, મહંતો, દાતાઓ, સમાજ કોષ્ઠીઓની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવેલ.

મેઘાણી રંગભવન ખાતે ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં  પગલા પાડીને સંસાર યાત્રાનો પારંભ કરેલ છે. જલારામ સેવા મંડળ ટ્રસ્ટના કુંદનબેન રાજાણીની જહેમતથી સમુહ લગ્નોત્સવ સંપન્ન થયેલ આ શુભ અવસરે સંતો, મહંતો, પૂ. અવધેશબાપુ પૂ. પ્રવિણભાઇ શાહ ( કચ્છી આશ્રમ હરીદ્વાર) પૂ. ઐ. પ્રસાદજી (જીવંતિકા મંદીર) પૂ. અશોકભાઇ ભટ્ટ (કથાકાર), દાતા પરિવારના ભરતભાઇ નથવાણી, નરેન્દ્રભાઇ નથવાણી, અજયભાઇ નથવાણી દાતા ભરતભાઇ રાચ્છ (કૃણાલ પેઇન્ટસ), દાનવીર બાવીસી પરિવારના નવિનભાઇ શાહ, રમેશભાઇ ઠક્કર (ગીરીરાજ હોસ્પીટલ) શિલ્પાબેન પુજારા (કોમઇ હેન્ડ્રીકાફ્રટ) ક્રિષ્નાબેન ચોટાઇ (ચેવડાવાળા)  ઠાકરશીભાઇ (ચક્ર રીગ્રાઇન્ડીંગ)  મનુભાઇ મહેતા (તનિષ્ઠ) રમેશભાઇ સાયાણી અમદાવાદ, મનસુખભાઇ વાજા (સત્યમ સેવા જુનાગઢ) લવજીભાઇ (રિધ્ધી સિધ્ધી મીઠાઇ) રાજુભાઇ (નીલમ ટી.) વિણાબેન પાંધી, હસમુખભાઇ ગણાત્રા (દેનાબંેક) વિનુભાઇ પાંધી, હસમુખભાઇ ગણાત્રા (દેનાબેંક) વિનુભાઇ તન્ના (પોસ્ટ ઓફિસ) મહેન્દ્રભાઇ કક્કડ (તોલમાપ અધિકારી) અરવિંદભાઇ વસાણી (એલઆઇસી) સહિતના ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના પારંભે ટ્રસ્ટ પ્રમુખ કુંદનબેન રાજાણીએ મહેમાનોનું સ્વાગત કરેલ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીઓ જયશ્રીબેન ખગ્રામ, હંસાબેન પડીયા, કાંતાબેન કોટેચા, ધુન મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(4:27 pm IST)