Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

રાજકોટ દ્વારકાધીશ પરોઠા હાઉસના માલિક પ્રવિણ વાળાને જીવતા સળગાવી દેનાર પત્નિ સંજના સહિત ૨ ઝડપાયા

સંજનાને પ્રવિણભાઇથી છૂટવું હતું અને ભાણવડ પાસે વિજયપુરમાં રહેતા મોહન ભીમસીંગ સીસોદિયા (રાજસ્થાન)ના પુત્ર સાથે લગ્ન કરવા હતા

ભાણવડ  તા.૧૬:  વિજયપુર ખાતે ગયેલા પ્રવિણભાઈ તા.૧૧મી જાન્યુઆરીના વાડીમાં રહેતા રાજસ્થાન તરફના મુળ રહેવાસી અને કુવો ગાળવાનું કામ કરતા મોહનભાઈ ભીમસીંગભાઈ સીસોદીયાએ પ્રવિણભાઈ પાસે તેઓના લગ્નના કાગળો માંગ્યા હતા. જે રાજકોટથી વિજયપુર લાવવાની કામગીરી તેઓની જાણીતી બે વ્યકિતઓને સોંપવામાં આવી હતી.

આ તમામ વખતે પ્રવિણભાઈ તેમની પુત્રી ધર્મીષ્ઠા સાથે મોબાઈલ મારફતે સંપર્કમાં હતા. બાદમાં ગત્ તા.૧૨જાન્યુના રોજ સંજનાએ પરત નહિ આવવાનું કહી, બોલાચાલી થયા બાદ તેઓએ વિજયપુર ખાતે આ જ વાડી વિસ્તારમાં રાતવાસો કર્યો હતો. જયા સંજનાબેન તથા મોહનભાઈ એ રાત્રે કોઈ જલદ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપી દેતાં ભરત ઉંઘમાં સૂતેલા પ્રવિણભાઈનું ગંભીર હાલતમાં સારવાર દરમ્યાન જામનગરની હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું હતું.

સંજનાબેનને મોહનભાઈના પુત્ર સાથે લગ્ન કરવા હોય, બન્નેએ રાજકોટના પ્રવિણભાઈને સળગાવી માર્યા હોવાની ધોરણસર ફરિયાદ પુત્રી ધર્મિષ્ઠાબેને ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે.

આ સમગ્ર બનાવ બનતાં ભાણવડના પી.એસ. આઈ.પી.એ. જાડેજાએ આઈ.પી.સી.કલમ ૩૦૨, ૧૨૦-બી તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા છે.

આ હત્યાના બનાવ સંદર્ભે અહિંના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી.જે.એચ. ઝાલા પણ ઘટના સ્થળે દોળી ગયા હતા અને એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની સેવાઓ લઈ મુદૃામાલ કરી, પંચનામા સહિતની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ધર્મીષ્ઠાબેને નોંધાવેલી ફરીયાદ મુજબ તેમના પિતા પ્રવિણભાઇ છોટાલાલ વાળા રાજકોટ ખાતે જય દ્વારકાધીશના નામે પરોઠા હાઉસ ચલાવે છે જયાં આશરે દશેક મહિના પહેલા સાંજનાબેન નામની નિઃસહાય મહિલા આવેલ જેને પરોઠા સંચાલકે માસિક છ હજારના પગારથી કામે રાખેલ. સંજનાબેને પોતે નાગપુર તરફની હોવાનું અને તેમના પતિએ તરછોડી દીધી હોવાની સ્ટોરી કરતા પ્રવિણભાઇ તેમજ તેમની પુત્રી (ફરીયાદી)એ રહેમખાઇ રોટલો અને ઓટલો બન્ને આપ્યા. દરમ્યાન રાજકોટના રીક્ષાચાલક દિપક ભાઇ નામના વ્યકિતએ પ્રવિણભાઇને સંજના સાથે લગ્ન કરી લેવાની સલાહ આપતા બન્નેએ તા.૧૯-૬-૨૦૧૭ના રોજ લગ્ન કરાર કરી પતિ-પત્નિ તરીકે રહેવા લાગ્યા હતા અને તા.૨૪.૧૨.ના રોજ રાજકોટમાં જ રહેતા સંજનાના માસી ઘરે આવ્યા હતા અને સંજનાને એક દિવસ માટે પોતાના ઘરે લઇ ગયા જયાંથી સંજના પરતન ફરતા મૃતકે રીક્ષાવાળા દિપકભાઇ જાણ કરી હતી દિપકભાઇએ તપાસ કરતા સંજના ભાણવડ તાલુકાના વિજયપુર વાડી વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળેલ જેને તેડવા માટે પ્રવિણભાઇ રીક્ષાવાળા દિપકભાઇ તથા અન્ય એક શખ્સ કાંતિભાઇને લઇ વિજયપુર આવ્યા હતા જયાં સંજના મોહનભાઇના દિકરા સંજય સાથે રહેતી હતી અને પ્રવિણભાઇએ મોહનભાઇને સંજના તેમની પત્નિ હોવાનું જણાવતા મોહનભાઇએ લગ્નના આધાર પુરાવા લઇને આવવાનું કહેતા તે રાજકોટ લગ્નનો દાખલો લઇ પરત વિજયપુર આવ્યા હતા જયાં સંજનાએ રાજકોટ આવવાની ના પાડી દેતા મોહનભાઇ અને સંજયે તેમને સમાધાન માટે રાત રોકાઇ જવાનું કહેલ અને પ્રવિણભાઇ વાડીની ઝુંપડીમાં સુઇ ગયા હતા જયાં ગાઢ ઉંઘમાં રહેલા પ્રવિણભાઇની પથારીમાં કોઇ જવલનશીલ પ્રવાહી છાંટી સંજના, મોહનભાઇ તેમજ સંજયે દિવાસળી ચાંપી દેતા પ્રવિણભાઇ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા અને મોત નીપજ્યુ હતુ.      

(11:52 am IST)