Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પુત્રવધુને દહેજ પ્રશ્ને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવા અંગે સાસુના વચગાળાના જામીન રદ

રાજકોટ તા. ૧૬: પુત્રવધુને ત્રાસ આપવાના ગુન્હામાં સાસુની વચગાળાના જામીન રદ કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ કામના ફરીયાદી કુલદીપસિંહ ભાવુભા ચૌહાણ રહે. ખોડીયારનગર ગોંડલ રોડ રાજકોટવાળાની ફરીયાદીની બહેન ગુજ. સેજલબા યશપાલસિંહ વાઘેલાના લગ્ન યશપાલસિંહ વાઘેલા સાથે થયેલા ગુજ.ના સાસુ અરજદાર રસિકબા ભરતસિંહ વાઘેલા રહે. રાજીવ ગાંધી આવાસ યોજના નટરાજનગર રાજકોટ વાળા ગુજ. સેજલબાને લગ્ન જીવન દહેજ અંગે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપતા તેમજ દહેજની ફરિયાદ કરતા તેથી ગુજ. સેજલબા વાઘેલાએ પોતાના ઘરે ચોથા માળ ઉપરથી પડતું મુકી આત્મહત્યા કરી મરણ પામેલ આ કામમાં અરજદાર રસિકબાએ માનવતાના ધોરણે જામીન ચાર્જશીટ બાદ મુકતા કોર્ટ સમીર એમ. ખીરાની દલીલ ધ્યાને લઇ વચગાળાની જામીન અરજી નામંજુર કરી હતી.

આ કામે સરકાર પક્ષે સમીર એમ. ખીરા રોકાયેલા હતા.

(3:05 pm IST)