Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની તબીયત નાદુરસ્ત : લો-બીપી-માથામાં દુઃખાવો

રાજકોટ : જુનાગઢ ખાતે ચાતુર્માસમાં બિરાજમાન રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ને. ૬ દિવસથી માથાનો દુઃખાવો થતો હતો. શરૂઆતમાં થાકના કારણે આવું થતું હોવાનું લાગ્યું હતું. પણ છેલ્લા ૩ દિવસથી પૂ. ગુરૂદેવને લો-બીપી થઇ ગયું હતું અને માથાનો દુઃખાવો પણ સીવીયર થયેલ.

 માથાના એક ભાગમાં સ્વેલીંગ પણ થતાં કાર્ડીયોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ, ફીઝીશ્યન સહીતના ડોકટરોને કન્સલ્ટ કરાયા છે. ગઇ કાલે ડો.આશીષ મહેતા (બ્રીચકેન્ડી હોસ્પિટલ, મુંબઇ ) સાથે ઓનલાઇન કન્સલટેશન કરવામાં આવેલ ડો.આશીષ મહેતા જણાવેલ બ્લડ ટેસ્ટ સ્કેનીંગ સહિતના ટેસ્ટ કરાશે.

પૂ. ગુરૂદેવની તબીયત હાલ સ્થિર છે અને વર્ષોથી ઓકટોબરના આ સમયગાળામાં તેમના સ્વાસ્થ્યમાં મુશ્કેલી આવે છે તેમ પણ જાણવા મળ્યું છે. પૂ. ગુરૂદેવ સંપૂર્ણ આરામમાં છે.

(12:58 pm IST)