Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સ્વ. સિધ્ધાર્થનો જન્મદિન સેવા કાર્યો સાથે ઉજવ્યો

શ્રમજીવી ઉપાશ્રયના મંત્રી મહેશભાઇ મહેતાએ સુપુત્ર

રાજકોટ તા. ૧૪: જૈન અગ્રણી અને શ્રમજીવી ઉપાશ્રયનાં મંત્રી મહેશભાઇ મહેતાનાં સુપુત્ર સ્વ. સિધ્ધાર્થભાઇ મહેતાનાં જન્મદિવસ નિમિતે સ્વ. સિધ્ધાર્થભાઇની અબોલ જીવો તથા પરમાર્થના કાર્યો અને તેમની સેવાઓને યાદ કરતા ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરતા  તા. ૧૩/૮/ર૧, શુક્રવારના રોજ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં અબોલ જીવોને એક ટ્રક ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથોસાથ ખીસકોલીઓને ભાવતા ભોજનીયા મકાઇના ડોડા ૮૦ કીલો ઝાડ ઉપર લગાડવામાં આવ્યા હતા તેમજ બપોરે મંદબુધ્ધીનાં બાળકોને જમાડવામાં આવ્યા સાથોસાથ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ હરતું ફરતું અન્નક્ષેત્ર દ્વારા ઝુંપડપટીના દરીદ્રનારાયણોની જઠરાગ્ની ઠારવામાં પણ આવેલ હતી. સનાતન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧રપ બાળકોને સાંજનો જમણવાર સાથોસાથ બીસ્કીટનાં પેકેટ પણ આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઇ મહેતા, શ્રીમતી ઇલાબેન મહેતા, હીતેશભાઇ દોશી, હીરેનભાઇ કામદાર, રશ્મીબેન કોઠારી, કેતનભાઇ વ્યાસ, ભરતભાઇ બોરડીયા, દેવેન્દ્રભાઇ વાઢેર, આરતીબેન દોશી, ભાવીશાબેન બાટવીયા, રીટાબેન વસા, રીટાબેન બાટવીયા, ડેઇઝીબેન દોશી, પૂજાબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.

(3:28 pm IST)