Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દેશના હિત માટે સારા કાર્યો કરો જેથી તિરંગાનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધે

ઇન્દોરમાં ચાલી રહેલ રામકથામાં પૂ. હરીચરણદાસજી બાપુની હાજરીમાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

રાજકોટઃ  ઇન્દોરમાં  પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની અધ્ય્ક્ષતામાં ચાલી રહેલ શ્રી રામચરિત માનસ કથામૃત દરમિયાન  ગઇકાલે સ્વતંત્રતા દિવસે   પુજાના યજમાન ડા.ે ધર્મેન્દ્રસીહ ભગવતસિહ ચૌહાણ પરિવારએ લાભ લીધો હતો. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવે રાષ્ટ્રગાન કરી ગુરુદેવે રાષ્ટ્ર જોગ સંદેશો આપ્યો કે રાષ્ટ્રના હિત માટે સારા કાર્યો કરવા જેથી તિરંગાનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધે. દરેક ગુરુભકતને શુભેચ્છાઓ આપી હતી.તેમજ દરેક કથામાં હાજર ભકતગણે તિરંગો ફરકાવી નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ભંડારાનો લાભ વિજયભાઈ ચગ તથા સુનીલભાઈ કપૂર ઇન્દોર પરિવાર દ્વારા કરવામાં આવેલ કથા પ્રસંગે રાસ ગરબામાં ભકતો ઝુમ્યા હતા.

(3:27 pm IST)