Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

બેડીનાકા રેનબસેરામાં અજાણ્યા વૃધ્ધનુ બેભાન થયા બાદ મોત

વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૬: બેડીનાકા રેનબસેરામાં આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. એચ. નિમાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકે સફેદ ઝભ્ભો-ધોતીયુ પહેરેલા છે. માથે ટાલ છે અને સફેદ દાઢી-મુછ છે. તેમની ઓળખ થઇ શકે તેવું કંઇ મળ્યું નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:40 pm IST)