Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સ્‍વતંત્ર્ય સેનાની શુભેચ્‍છક પરીવાર યોજીત સેવા કાર્યોને બીરદાવતા પરસોતમભાઇ રૂપાલા

રાજકોટઃ સ્‍વાતંત્ર્ય સેનાની શુભેચ્‍છક પરીવાર દ્વારા નંદગોપાલ ભારતગેસ એજન્‍સીના સહયોગથી ૧૦-રણછોડનગર કુવાડવા રોડ ખાતે પક્ષીના માળા, પાણીના કુંડા, તથા છાશ વિતરણ કરવામાં આવ્‍યું. તેમાં મોટી સંખ્‍યામાં ભાઇઓ બહેનો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. ઉપરોકત સામાજીક કાર્યક્રમમાં વિસ્‍તારના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ ડેપ્‍યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા, પુર્વ સાંસદસભ્‍ય રામજીભાઇ માવાણી તથા પુર્વ સાંસદ શ્રીમતી રમાબેન માવાણી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા ખાસ ઉપસ્‍થિત રહયા હતા. રાષ્‍ટ્રપતિ સન્‍માનીત સ્‍વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠલાણીની ૯૮ મી જન્‍મજયંતી નિમિતે યોજવામાં આવેલ. સેવા કાર્યોને બિરદાવ્‍યા હતા. આ કાર્યક્રમમાં અનેક નામી અનામી લોકો-વ્‍યકિતઓએ પોતાની સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમ અશ્વીનભાઇ વિઠલાણી (પ્રમુખ સ્‍વાતંત્ર્ય સેનાની શુભેચ્‍છક પરીવાર) તથા પેજ પ્રમુખ ભાજપ શ્રીમતી કિરણબેન વિઠલાણી દ્વારા આયોજીત કરવામાં આવ્‍યો હતો.

(2:34 pm IST)