Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

હનસવાડીની પરિણીતા પાયલબેનનો થાનમાં માવતરના ઘરે આપઘાત

ગઇકાલે જ પિતાની ખબર કાઢવા થાન ગયા પછી એસિડ પી લીધું: રાજકોટમાં દમ તોડયોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૬: હસનવાડી-૨ ગાયત્રીનગર મેઇન રોડ પર રહેતી પાયલબેન વિશાલભાઇ દલવાણી (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ ગઇકાલે થાનગઢમાં પિતા ઘનશ્‍યામભાઇ ચોહાણના ઘરે એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ મારફત માલવીયાનગર પોલીસને થતાં પ્રાથમિક કાર્યવાહી કરી થાન પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર પાયલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ વિશાલભાઇ ડેરી ચલાવે છે. પાયલબેન ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા નંબરે હતી. તેના પિતાનું ઓપરેશન કરાવાયું હોઇ તેણી ગઇકાલે જ તેમની ખબર કાઢવા ત્‍યાં ગઇ હતલ. એ પછી અકળ કારણોસર કપડા ધોવાનું લિક્‍વીડ પી ગઇ હતી.

(12:07 pm IST)