Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સદગુરૂ આશ્રમે રવિવારે સુંદરકાંડનો યજ્ઞ

શ્રી સુંદરકાંડના ૧ લાખ ૮ હજાર મહાસંકલ્પરૂપે અત્યાર સુધી ૧ લાખ ૯ હજાર ૬૫૧ પાઠ થયા

રાજકોટઃ પ.પૂ.શ્રી. સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુુશ્રીની અસીમ કૃપા તથા પ્રેરણાથી 'સર્વ જન હિતાય' 'સર્વ જન સુખાય' માટે ૧,૦૮,૦૦૦ (એક લાખ આઠ હજાર) શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ હતુ. જે મહાસંકલ્પ પૂર્ણ થયેલ છે.

આ ૧,૦૮,૦૦૦ (એક લાખ આઠ હજાર) શ્રી સુંદરકાંડ પાઠના પૂર્ણાહુતિ રૂપે હોમાત્મક યજ્ઞનું તા.૧૮ના રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ આયોજન કરવામં આવેલ છે. સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનો દ્વારા એક લાખ આઠ હજાર શ્રી સુંદરકાંડના મહાસંકલ્પ રુપે અત્યાર સુધીમાં ૧,૦૯,૬૫૧ (એક લાખ નવ હજાર છસો એકાવન) શ્રી સુંદરકાંડના પાઠ થયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(4:04 pm IST)