Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ઘંટેશ્વર ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી થશે : ઊર્જામંત્રીના હસ્તે ત્રિરંગો લહેરાશે

પરેડ - વૃક્ષારોપણ તથા કોરોના વોરીયર્સ ૫૦થી વધુ કર્મચારીઓનું અભિવાદન થશે

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના રોજ ૭૫ મો સ્વાતંત્ર્ય પર્વનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઘંટેશ્વર ખાતે યોજાનાર છે. તેના આયોજન માટે નિવાસી અધિક કલેકટર કેતન ઠકકરના અધ્યક્ષસ્થાને  એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠકકરે રાજય સરકારશ્રી કોવીડ-૧૯ની ગાઇડ લાઇનના પાલન સાથે આ પર્વની ઉજવણી કરવા તમામ વિભાગ/કચેરીઓને ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું 

આ સ્વાતંત્ર્ય પર્વે ઉર્જામંત્રી  સૌરભભાઇ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી અપાશે. મંત્રીશ્રીના ઉદ્દબોધન બાદ કોરોના વોરિયર્સનું અભિવાદન તેમજ વૃક્ષારોપણ કરાશે.

આ પર્વની ઉજવણી અન્વયે ગઇકાલે શાનદાર રીહર્સલ યોજાયું હતું. તેમાં સબંધિત ખાતા - કચેરીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(10:39 am IST)