Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે ઇન્દોર અને ઉજૈનમાં વિનામુલ્યે નેત્રયજ્ઞ

રાજકોટ તા. ૧૩ : પૂ. રણછોડદાસજી મહારાજની પરંપરાને જાળવી રાખી સદ્દગુરૂ પરીવાર ટ્રસ્ટ દ્વારા ૧૫ ડીસેમ્બરે નેત્રયજ્ઞનું ઇન્દોર (ધાર) તથા ઉજૈન ખંડવા ખાતે આયોજન કરાયુ હોવાનું સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગર તથા ટ્રસ્ટના જાણીતા કરવેરા સલાહકાર ઇશ્વરભાઇ ખખ્ખરની યાદીમાં જણાવાયુ છે.

કેમ્પ દરમિયાન દર્દીઓને ચા-નાસ્તો, ભોજન, ૧ વ્યકિતને સાથે રહેવા સહીતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. નેત્રયજ્ઞ બાદ સ્મૃતિ ભેટ આપાશે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે કમિશ્નરશ્રી આકાશ ત્રિપાઠી અને ડો. અશ્વિન વર્મા તેમજ અતિથિ વિશેષ તરીકે વિજયભાઇ ચગ, રમેશભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.

 અનુસંગીક સેવા માટે દાનાબાપા ડાંગરના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્દોર જવા રવાના થયેલ છે. નેત્ર યજ્ઞ પુર્વે હનુમાન ચાલીસાના પાઠ થશે. જેના મુખ્ય યજમાનપદે શાંતુભાઇ રૂપારેલીયા પરીવાર રહેશે. સેવકોની ટીમમાં કનુભાઇ વસાણી, ધીરૂભાઇ પ્રજાપતી, હંસાબેન વસાણી, કાન્તાબેન ગોહેલ, સંજયભાઇ ચૌહાણ, પેઇન્ટર રમેશભાઇ મોરી, પેઇન્ટર પરેશભાઇ ગોહેલ, રાજુભાઇ બજાણીયા, એમ.એમ. વ્યાસ, જયશ્રીબેન રાઠોડ, સવીતાબેન પટેલ, બેચરભાઇ માસ્તર, પ્રજ્ઞેશભાઇ શારડ, દેવરાજભાઇ અકબરી, છગનભાઇ અકબરી, ચંદુભાઇ રાઠોડ, જોરૂભાઇ જોગડા ગઢવી, રણછોડભાઇ પટેલ, પ્રકાશભાઇ ભુવા, સંજયભાઇ સરપંચ, શૈલેષભાઇ તન્ના, તેજાભાઇ પટેલ, વલ્લભભાઇ પટેલ, શૈલેષભાઇ મેઘાણી વગેરે સભ્યોની ટીમ જોડાયેલ છે.

સમગ્ર પ્રોજેકટ માટે સલાહકાર સમિતિમાં કાશ્મીરાબેન નથવાણી, શાંતુભાઇ રૂપારેલીયા, જગદીશભાઇ ગણાત્રા, હરીશભાઇ લાખાણી, રાજુભાઇ કાનાબાર, સુરેશભાઇ ચંદારાણા, રમેશભાઇ રાચ્છ, મહેન્દ્રભાઇ રાજવીર, મીતલભાઇ ખેતાણી, નિલેશભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ સચદે, ચંદ્રેશભાઇ પટેલ, રમેશભાઇ મહેતા (ઇન્દોર) ચંદુભાઇ રાઠોડનું માર્ગદર્શન સાંપડી રહ્યુ છે. (૧૬.૫)

(3:55 pm IST)