Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વિઠ્ઠલભાઇના સ્વાસ્થ્ય માટે પ૧ લાખ મહામૃત્યુંજય જાપ

રાજકોટ તા.૧૩ : જીલ્લાના સહકારી પરિવારના મોભી, સાંસદશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા જલ્દીથી સ્વસ્થ થઇ સમગ્ર સહકારી પરિવાર વચ્ચે ઉપસ્થિત થાય તેવા આશયથી રાજકોટ તથા મોરબી જીલ્લાના સહકારી પરિવાર દ્વારા ગામે-ગામ સામુહિક મંત્રોચ્ચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.

રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. રાજકોટ મારફત મંત્રજાપના આંકડા એકત્ર કરતા રાજકોટ તથા મોરબી જીલ્લાની આ બેંકની તમામ બ્રાન્ચો, સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, ઇત્તર તથા શરાફી મંડળીઓ, તાલુકા સંઘો તથા જીલ્લા લેવલની સહકારી સંસ્થાઓના ડિરેકટરશ્રીઓ, સભાસદો તથા કર્મચારીઓ દ્વારા પ૧ લાખથી વધુ મહામૃત્યુંજયના મંત્રોચ્ચાર કરી શ્રી વિઠ્ઠલભાઇના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ. જે મંત્રોચ્ચારના ફલ સ્વરૂપ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયાની તબીયતમાં સારો સુધારો જોવા મળેલ છે. હાલ તેમની તબીયત સારી છે અને ટુંક સમયમાં સમગ્ર સહકારી પરિવાર વચ્ચે ઉપસ્થિત થશે તેમ બેંકના જનરલ મેનેજરશ્રી વી.એમ.સખીયાએ જણાવેલ છે.

(3:28 pm IST)