Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

'બીમારીથી કંટાળી પગલું ભરૃં છું' ચીઠ્ઠી લખી ૭૦ વર્ષના દીલીપભાઇએ ફાંસો ખાઇ દુનીયા છોડી

કિશાનપરા ચોક પાસે શકિત કોલોનીમાં બનાવ

રાજકોટ તા. ૧૩: કિશાનપરા ચોક પાસે શકિત કોલોનીમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ કિશાનપરા ચોક પાસે આવેલી શકિત કોલોની શેરી નં. ૧ માં રહેતા દીલીપભાઇ અંબાશંકરભાઇ વ્યાસ (ઉ.વ. ૭૦) એ પોતાના ઘરે રૂમમાં પંખાના હૂકમાં કપડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તેને બોલાવવા જતા દરવાજો બંધ હોઇ ખખડાવતા ન ખોલતા દરવાજો તોડીને જોતા વૃધ્ધ લટકતી હાલતમાં જોવા મળતા તાકીદે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જાણ થતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકી તથા રાજુભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. વૃધ્ધ દીલીપભાઇને સંતાનમાં એક પુત્ર છે. અને બીમારીથી કંટાળી આ પગલું ભરૃં છું તેમ લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી આ અંગે પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(2:31 pm IST)