-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
સહકારી ક્ષેત્રની શાન, અકિલા પરિવારનું ગૌરવ
બહુમુખી પ્રતિભા નરેન્દ્રસિંહ જાડેજા
રા.લો. સંઘમાં સહીયારા પુરૂષાર્થથી વિકાસને વેગનો નિર્ધાર
રાજકોટ તા. ૧૩ : સહકારી ક્ષેત્રે દેશવ્યાપી નામના ધરાવતા રાજકોટ લોધિકા સહકારી સંઘના સર્વોચ્ચ સુકાની તરીકે બિનહરીફ ચૂંટાયેલા શ્રી નરેન્દ્રસિંહ જાડેજા બહુમુખી પ્રતિભા છે. તેમણે સૌના સાથ અને સૌના સહકારથી ખેડૂતોની આ સંસ્થાને વિકાસના માર્ગે વધુ આગળ વધારવાનો કોલ આપ્યો છે. તેમણે પુરોગામી હોદ્દેદારોએ વિકાસ કર્યાનો ઉલ્લેખ કર્યો છે. શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દાયકાઓથી જાહેર જીવનમાં કાર્યરત છે. ભૂતકાળમાં ૫ વર્ષ મ્યુ. કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસના નેતા પદે રહ્યા હતા. જીવન બેંકના એમ.ડી. તરીકે બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે (અકિલા પરિવાર) પણ તેમણે સંગીન પ્રદાન કર્યું છે. ગૌસેવા તેમનો શોખનો વિષય છે. ખંત, ખૂમારી અને ખેલદિલીના ખજાનારૂપ બહુમૂખી પ્રતિભા છે. શ્રેણીબધ્ધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. રા.લો સંઘના ચેરમેન બનવા બદલ તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૮૨૪૦ ૭૭૭૯૩) થઇ રહી છે.