Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શિવમ ગ્રુપ દ્વારા સોમવારે રૂા.૧૫૦માં બે કીલો ફરસાણ અને મીઠાઈ વિતરણ

રાજકોટઃ શિવમ્‌ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી સ્‍વ.પ્રવિણસિંહ પરમારનાં સ્‍મરણાર્થે સાતમ આઠમમાં તહેવાર નિમીતે સતત ૨૧માં વર્ષે રાહત દર ફરસાણ તેમજ મીઠાઈ વિતરણનું આયોજન તા.૧૫ને સોમવારે સવારે ૮ થી સાંજે ૬ વાગ્‍યા સુધી રાખેલ છે. આ કાર્યક્રમમાં રૂા.૧૫૦માં બે કિલો ફરસાણ તથા મીઠાઈ આપવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટેલ બ્રાસ- વર્કસ), દિપપ્રાગટય શ્રી શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્‍ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્‍ડિયા બ્રાસ)ના હસ્‍તે રાખેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ્‌ ગ્રુપનાં કુલદિપસિંહ પરમાર, વિપુલ પટેલ, ગિરીરાજસિંહ જાડેજા, ધવલ જોષી, કમલ લિંબડ, ચેતન શુકલ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્‍દ્ર કામલીયા, પંકજ પરમાર, અતુલ કારીયા, વિશાલ ભીમાણી, જયેશ ઉદેશી, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે, રાજુભાઈ ભીમજીયાણી તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્‍થળઃ શિવમ્‌ પ્રોપર્ટીઝ, ૪, પુજારા  પ્‍લોટ કોર્નર, પુજારા પ્‍લોટ મેઈન રોડ, જલારામ બેકરી તથા ચિરાગ મેડીકલની બાજુમાં, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ, રાજકોટ.

(3:44 pm IST)