Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ચાચર ચોકમાં આદ્યશકિતની આરાધના

 રાજકોટ :  ધોળકીયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં બીજા દિવસે અતિથિ વિશેષ તરીકે રાજકોટ જીલ્લાના નવનિયુકત એડી. કલેકટર શ્રી પંડ્યા, સહપરીવાર દીપ પ્રાગટ્ય તથા આદ્યશકિતને પુષ્પહાર અર્પણ કરેલ. કૃષ્ણકાંતભાઈ અને જીતુભાઈએ જૈન સમાજના અગ્રણી ઈશ્વરભાઈ દોશી, બ્રહ્મસમાજના અગ્રણી જનાર્દનભાઈ આચાર્ય, નટવરી નૃત્ય માળાના ડીરેકટર હર્ષાબેન ઠક્કર, બ્રહ્માકુમારી પુષ્પાબેન, બ્રહ્માકુમારી સુધાબેન, એનસીસી સેકન્ડ સહબટાલીયન રાજકોટના લેફટનન્ટ કર્નલ રોહિતસંઘનું પધારી સ્વાગત કરેલ. માં આદ્યશકિતની સ્તુતિ વંદના કરી હતી.

(4:53 pm IST)